Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.


ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી.

ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પટેલ સાહેબશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

જ્યારે તાલુકા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરવા બદલ મહેસૂલ વિભાગનાં શ્રી વિરાલભાઈ પટેલ સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી ખેરગામ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ મામલતદાર કચેરી ખેરગામ, શ્રી શ્રેયસ જાદવ ક્લાર્ક મામલતદાર કચેરી વાંસદા, ખેરગામ તાલુકા પંચાયતના સતીષભાઈ પટેલ(ટી.એલ.એમ), અક્ષયભાઈ બી.પાડવી ( વર્કસ મેનેજર,PMAY ), 

આરોગ્ય વિભાગના નિકેતાબેન પટેલ (ફિમેલ હેલ્થવર્કર વાડ -૨), દીપિકાબેન પટેલ (CHO, PHC તોરણવેરા),  મુકેશભાઈ બારોટ ( પાયલોટ, 108 એમ્બ્યુલન્સ), રવિ પટેલ (EMT, 108 એમ્બ્યુલન્સ)

પોલીસ વિભાગમાં ઉષાબેન પટેલ (વુમન એ.એસ. આઈ. ખેરગામ પોલીસ સ્ટેશન ખેરગામ, દિવ્યેશભાઈ પટેલ (પોલીસ કોન્સ્ટેબલ ખેરગામ પોલીસ સ્ટેશન),આઈસીડીએસ ખેરગામ વિભાગમાં વનિતાબેન આહીર (સુપર વાઈઝર ચીખલી ઘટક -૨),પશુપાલન વિભાગમાં નીતિબેન પટેલ (પશુધન નિરીક્ષક, ધામધૂમા), શ્રી નેલ્સનભાઈ પટેલ (પશુધન નિરીક્ષક, નારણપોર),ફોરેસ્ટ વિભાગમાં ભૂમિન પટેલ (વનપાલ, ખેરગામ), Dgvcl વિભાગમાં કાંતિભાઈ પટેલ ( લાયન ઇન્સ્પેક્ટર તથા દિનેશભાઈ પટેલ ( ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ ), ખેતીવાડી વિભાગમાં કલ્પેશભાઈ પટેલ ( ગ્રામસેવક, સેજો જામનપાડા) તથા ત્વિશા પટેલ. ગ્રામસેવક, સેજો પાટી)ને પોતાના વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ અઘિકારીગણ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ પ્રાંત સાહેબે તાલુકાનાં તમામ અધિકારીગણ અને કર્મચારીઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરી તમામ કેડરના કર્મચારીઓ સાથે યાદગીરી રૂપે ગૃપ ફોટો સેશન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સુમિત્રાબેન પટેલ, તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, તાલુકાનાં અગ્રણીઓમાં ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ પી.એસ. આઈ. ગામીત સાહેબ, ખેરગામતાલુકા હેલ્થ ઓફિસરશ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ, ડૉ .પૂજા પટેલ હેલ્થ ઓફીસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા, ખેરગામ નાયબ મામલતદાર સેહુલભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો, તાલુકામાંથી પધારેલ આગેવાનો તેમજ વિવિધ  કચેરીમાંથી પધારેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































Comments

Popular posts from this blog

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

                                                   Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

       Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી વ

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

 Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates